Tuesday, 25 April 2017

વાળા ક્ષત્રિય વંશ ના વીરપુરુષ તળાજાના રાજા એભલ વાળા (Abhal Vala)



તળાજાના પર્વત ઉપર આવેલી આ ગુફામાં એક ગુફા એભલ મંડપ તરીકે ઓળખાય છે.
આ ગુફામાં 8મી સદીમાં
વાળા ક્ષત્રિય વંશ ના વીરપુરુષ તળાજાના રાજા એભલ વાળા એ 999 કન્યાઓના સમૂહ લગ્ન કરાવ્યા હતા.આ ગુફાઓની વિશેષતા એ છે કે, અહીંની એક પણ ગુફાને પિલર નથી તેમ છતાં અડીખમ છે.
* વાળા રાજવંશ *
==> સૂર્યવંશની વંશાવલી ભગવાન આદિનારાયણથી શરૂ થાય છે.
ભગવાન આદિનારાયણથી ૫૮મી પેઢીએ "રધુરાજા" થયા. જેનાથી 'રઘુવંશ' ચાલ્યો.
==> એજ રઘુવંશમા "ભગવાન શ્રી રામે" અવતાર ધારણ કર્યો. શ્રી રામચંદ્રજીની ૧૧૮મી પેઢીએ સુમિત્ર થયા. જેને વલ્લભીપુર વસાવ્યુ. આગળ જતા વૃતકેતુ નામે રાજા થયા જેમણે વલ્લભીભંગ થતા 'વળા' વસાવ્યુ અને તે પરથી તેમના વંશજો 'વાળા' કહેવાણા.
==> વાળા રાજવંશે જુદા-જુદા સમયગાળા દરમિયાન જુદી-જુદી રાજધાની સ્થાપી. પહેલા અયોધ્યા પછી વલ્લભીપુર, વળા, થાન, તળાજા અને છેલ્લે ઢાંક(જે પહેલા જેઠવાઓની રાજધાની હતી અને પ્રેહ પાટણ અને ઢંકગિરીના નામે ઓળખાતી).
==> વાળા રાજવંશમા ૭ એભલવાળા થયા હોવાનો ઉલ્લેખ છે. જેમા કર્ણદેવના પુત્ર એભલ(જેણે દૈત્યને મારી ત્લાન(તળાજા) લીધાનુ કહેવાય છે), માનાજીના પુત્ર એભલ, અર્ણરાજના પુત્ર એભલ અને સૂરાજીના પુત્ર એભલ... વગેરેનો સમાવેશ થાય છે.

No comments:

Post a Comment

વીર માંગડાવાળા અને પદમાવતી-ઍક ભુલાયેલ પ્રેમકથા (Bhanvad)

વીર માંગડાવાળા અને પદમાવતી....ઍક ભુલાયેલ પ્રેમકથા.. "પદ્દમા તારો પ્રિતમ જો ને આજ હિરણ ની હદ માં રિયો એને કેજો ઝાઝા જુહાર, મરતા...